શ્રી વિશ્વકર્મા મેવાડા બાવન કેળવણી મંડળ ની સ્થાપના ક્યારે ને કેવી રીતે થયેલ તેની માહિતી
શ્રી વિશ્વકર્મા મેવાડા બાવન કેળવણી મંડળ ની સ્થાપના સંવત ૨૦૨૯ ને મહાસુદ તેરસ (શ્રી વિશ્વકર્મા પ્રભુઓ પ્રાગટ્ય દિન) ને ઇસ. ૧૯૭૨ની ૧૨ મી ફેબ્રુઆરી રવિવારે સાંજે ૭:૦૦ કલાકે શુભ ઘડીએ જ્ઞાતિના વડીલ સ્વ.શ્રી સોમનાથભાઈ મોતીલાલ મિસ્ત્રી ને ત્યાં લુવારશેરી સરસપુરમાં વડીલો મળ્યા તેમાં સ્વ.શ્રી દલસુખભાઈ એલ કાર્પેન્ટર, સ્વ.શ્રી પુરષોત્તમદાસ એ.ગજ્જર (વિયાવાળા), શ્રી નંદુભાઈ એમ.મિસ્ત્રી(ચેતક), સ્વ.શ્રી કેશવલાલ એલ કાર્પેન્ટર,સ્વ.શ્રી ડાહ્યાભાઈ શિવરામ મિસ્ત્રી, સ્વ.શ્રી પુરષોત્તમદાસ કે.ગજ્જર, સ્વ.શ્રી લાલભાઈ એલ.મિસ્ત્રી, સ્વ.શ્રી ખોડીદાસ કચરાભાઈ સુથાર, સ્વ.શ્રી મોતીલાલ જે.મિસ્ત્રી તથા સ્વ.શ્રી રતિલાલ કે.સુથાર, આ અગિયાર મહાનુભવોના વિચાર વિમષ તેમજ શ્રી વિશ્વકર્મા દાદાની પ્રેરણાથી સર્વે જ્ઞાતિબંધુના સાથ સહકારથી શ્રી વિશ્વકર્મા મેવાડા બાવન કેળવણી મંડળના પ્રસ્થાપિત કરવાનું અભૂતપૂર્વ કાર્યની શરૂઆત થઇ.
આપણા મંડળની સ્થાપનામાં મુખ્યત્વે શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય ટ્રસ્ટ નવરંગપુરા નો ફાળો છે.
ઇસ. ૧૯૭૨-૭૩માં શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલયના બીજા માળે નવીરૂમોના બાંધકામ માટે નક્કી કરેલ તેમાં આપણા બાવન કેળવણી મંડળ સરસપુરની રૂમ હોવી જોઈએ.તેમ વડીલોએ વિચારણા કરેલ તે વિચાર વિમસ અંતે આપણા મંડળની રચના કરવી.તે વિશ્વકર્મા જયંતી ના દિન વડીલો સરસપુર સ્વ.શ્રી સોમનાથભાઈ એસ.મિસ્ત્રીના ત્યાં ભેગા મળીને શ્રી વિશ્વકર્મા મેવાડા બાવન કેળવણી મંડળની સ્થાપના કરેલ તેમાં નક્કી કર્યું કે શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલયમાં આપણા બાવન સમાજની એક રૂમના દાતા શ્રી વિશ્વકર્મા મેવાડા બાવન કેળવણી મંડળ સરસપુર નામે રૂમ પર લગાડવી એવું નક્કી કર્યું.
આ રીતે આપણા મંડળની સ્થાપના સુકનવતા ચોઘડિયામાં થઇ અને હાલમાં આપણું મંડળ આજે એક વિશાલ વટવૃક્ષ ઘેઘુર બની ગયું છે
મંડળની પ્રવૃતિઓ
શૈક્ષણિક અને વિદ્યાર્થીઓ માટેની પ્રવૃત્તિઓ
વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબૂક વિતરણ
વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ અને સ્કોલરશીપ યોજના
– શૈક્ષણિક પ્રગતિને પ્રોત્સાહન અને તેજસ્વી ભવિષ્યનું નિર્માણ આપણા સંકલ્પ
સમાજ સેવા અને આર્થિક સહાય
બાવન સમાજની નિરાધાર વિધવા બહેનોને આર્થિક સહાય યોજના
સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત સમારંભ યોજના
– અત્યાર સુધી 30 પ્રસંગો સફળતાપૂર્વક આયોજન
– સમાજમાં એકતા, કરુણા અને સહકારનો સુંદર દાખલો
શૈક્ષણિક અને વિદ્યાર્થીઓ માટેની પ્રવૃત્તિઓ
વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબૂક વિતરણ
વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ અને સ્કોલરશીપ યોજના
– શૈક્ષણિક પ્રગતિને પ્રોત્સાહન અને તેજસ્વી ભવિષ્યનું નિર્માણ આપણા સંકલ્પ
યુવાનો માટેના આયોજન
- યુવક–યુવતી પરિચય મેળાવડો
મણિનગર શ્રી વિશ્વકર્મા વંશજ સુથાર સમાજ – મણિનગર, અમદાવાદના સહયોગથી
– યુવાઓને જીવનસાથી પસંદગી માટે એક સુરક્ષિત, સકારાત્મક અને સુવ્યવસ્થિત મંચ
ધ્યેય:
આપણા સમાજના દરેક વર્ગને શિક્ષણ, સહકાર, સંસ્કાર અને સંચાલન દ્વારા આગળ વધારવો, સમાજની એકતા મજબૂત કરવી અને આગામી પેઢીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવું.
વિઝન:
શિક્ષિત, સંસ્કારી અને સ્વાવલંબનથી સમૃદ્ધ મેવાડા બાવન સમાજનું નિર્માણ, જ્યાં દરેક વ્યક્તિ સન્માન, સુરક્ષા અને સમાન તકો સાથે પ્રગતિ કરે.
ફોટો ગેલેરી








What People Say
I love attending the church! I love gathering together at worships and events with our big believing family. I have felt my personal growth and strength in serving people, making this world a better place.
Nick Jones
The wonderful mission that our church does is truly priceless! The practice of giving is awesome and brings results. I ask everyone who isn’t indifferent to donate and take part! God bless you all!
Anna Gordon
My husband and I come here every Sunday. This church has the nice, inspirational, and devout atmosphere. Many good and kind people pray here. I recommend joining us with all your family!
